પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના – PM Surya Ghar : Muft Bijli Yojana

PM Surya Ghar : Muft Bijli Yojana – પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 1 કરોડ પરિવારોના ઘરો પર સોલાર પેનલ લગાવવાનો અને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે.

Read this post in English
  • આ યોજનામાં 1 કરોડ પરિવારોના ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.
  • આ યોજના વધતા વીજ બીલમાં લોકોને રાહત આપવા માટે શરૂ કરવામાં આવી છે.
  • પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા રૂ. ૭૮૦૦૦ સુધીની સબસિડી પણ આપવામાં આવશે.
  • આ યોજનામાં સરકાર દ્વારા રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ કરશે.
યોજનાનું નામપ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના
લાગુ પડતા રાજ્યભારતના તમામ રાજ્યોમાં લાગુ
લાભ કોને મળશે1 કરોડ ઘરોને
અરજી પ્રક્રિયાઓનલાઈન
 વેબસાઈટhttps://pmsuryaghar.gov.in
હેલ્પલાઈન નંબરથોડા સમયમાં જાહેર થશે

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે ? – What is PM Surya Ghar Muft Bijli Yojana ?

  • પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે.
  • આ યોજનાની જાહેરાત 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ દ્વારા કરી હતી.
  • આ યોજનાની જાણકારી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે – “લોકોના સતત વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.”
  • આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.
  • આ યોજનામાં સરકાર પરિવારોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપશે.
PM Surya Ghar
  • ગ્રાહક કોઈપણ ક્ષમતાની સોલાર સીસ્ટમ બેસાડી શકશે (ન્યુનતમ 1 KW) અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી.
  • અરજદારને એજન્સી, સોલાર પેનલ અને ઈન્વર્ટર પસંદ કરવાનો અધિકાર છે. અને એજન્સી સાથે ભાવતાલ કરી જાતેજ સિસ્ટમનો ભાવ નકકી કરી શકે છે.
  • અરજદાર જાતેજ નેશનલ પોર્ટલ પર અરજી કરી શકે છે. તેમજ કામપૂર્ણ કરી પોર્ટલ પર જાણકારી આપવાથી પોતાના જ ખાતામાં સબસિડી મેળવી શકે છે.
  • નેશનલ પોર્ટલ પર અરજદાર નોંધણીથી માંડીને સબસિડી મેળવવા સુધીની પ્રક્રિયાનું નિરીક્ષણ/ટ્રેક જાતેજ સહેલાઈથી કરી શકે છે.
  • વીજગ્રાહકે સરકારશ્રી દ્વારા માન્ય કરાયેલ એજન્સીઓ માંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે માન્ય એજન્સીઓની યાદી નેશનલ પોર્ટલ પર, દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઈટ ઉપર તેમજ દરેક વીજ કચેરીએ ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન – PM Surya Ghar Yojana Registration

  • રજીસ્ટ્રેશન કરવા માટે સરકાર દ્વારા નેશનલ પોર્ટલ લોન્ચ કર્યું છે.
  • રજીસ્ટ્રેશન કોઈપણ ગ્રાહક પોતેજ કરી શકશે નેશનલ પોર્ટલ પરથી.
  • રજીસ્ટ્રેશન કરવા માટે https://pmsuryaghar.gov.in/ વેબસાઈટ પરથી થશે.
  • રજીસ્ટ્રેશન માટે માત્ર તમારો મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી અને તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે.
  • તમારું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લીંક પર કલીક કરો.

રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના સબસીડી – PM Surya Ghar Yojana Subsidy

  • પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા રૂ. ૭૮૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવશે.
  • ૧ કિલોવોટ માટે રૂ. ૩૦૦૦૦/- સબસીડી આપવામાં આવશે.
  • ૨ કિલોવોટ માટે રૂ. ૬૦૦૦૦/- સબસીડી આપવામાં આવશે.
  • ૩ કિલોવોટ માટે રૂ. ૭૮૦૦૦/- સબસીડી આપવામાં આવશે.
  • સબસીડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં જ જમા થશે અને એ પણ તેનું સોલારનું કામ પૂર્ણ થયા પછી મળશે.
  • પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં નીચે મુજબ સબસીડી મળવા પાત્ર છે.
સરેરાશ માસિક વીજળી વપરાશ (Units)યોગ્ય રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતાસબસીડી
0 – 1501 – 2 KWરૂ. 30000 થી 60000
150 – 3002 – 3 KWરૂ. 60000 થી 78000
300 વધુ3 KW થી વધુરૂ. 78000
PM Surya Ghar Yojana Subsidy

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે જરૂરી દસ્તાવેજ – PM Surya Ghar Yojana Required Documents

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે નીચે મુજબના જરૂરી દસ્તાવેજની જરૂર પડશે.

  • નવા લાઈટબીલની કોપી
  • વેરા બીલ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ સાઈજ ફોટો
  • લાઈટ બીલ અને વેરા બીલમાં નામ એકજ હોવું જોઈએ.

1 KW સોલર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની ગણતરી

  • 1 KW સોલાર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની રકમની ગણતરી નીચે આપેલ છે.
અંદાજીત માસિક વપરાશઅંદાજીત બિલની રકમ1 kW સિસ્ટમ દ્વારા ઉત્પાદન થનાર અંદાજીત વિજ યુનિટઅંદાજીત બિલમાં માસિક લાભવાર્ષિક લાભમુડી રોકાણ પરત અંગેનો સમયગાળો (વર્ષમાં)
5038512038546207
10077912077993483
1501210120972116643
20016411201075129002
30025641201310157202

સોલર રૂફટોપ માન્ય એજન્સીઓની યાદી

  • જો તમારે સોલાર રૂફટોપ લગાવવું હોય તો તમારે કોઈપણ સરકાર માન્ય એજન્સીનો સંપર્ક કરવો પડશે.
  • સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ જાણવા નીચે આપેલ લીંક પરથી જાઓ.

સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

  • ગુજરાતમાં અલગ-અલગ ડિસ્કોમ છે જે વીજળી વિતરણ કરે છે.
  • જેમાં PGVCL, MGVCL, DGVCL, UGVCL, Torrent Power Limited – Surat અને Torrent Power Limited – Ahmedabad આવે છે.
  • ઉપર આપેલ તમામ ડિસ્કોમના સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ જાણવા નીચે આપલે લીંક પર જાઓ.
  • જે લીસ્ટને તમે એક્શેલમાં Excel માં પણ ડાઉનલોડ કરી શકશો.

PGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

DGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

MGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

UGVCLનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

Torrent Power Limited – Suratનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

Torrent Power Limited – Ahmedabadનું સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

સોલર રૂફટોપ કેપીસીટી કેલ્ક્યુલેટર – Solar Rooftop Calculator

  • સોલાર રૂફટોપ કેલ્ક્યુલેટર દ્વારા તમે તમારા મહિનાના વપરાશ પ્રમાણે તમારે કેટલા કેપીસીટીનું સોલાર લગાવવું જોઈએ એની જાણકારી મેળવી શકશો.
  • નીચે આપેલ લીંક પર જઈ અને તમારા સોલાર રૂફટોપની કેપીસીટીની ગણતરી કરો.

Solar Rooftop Calculator

  • ઉપરની લીંક પર જશો એટલે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારું રાજ્ય, તમારી ટેરીફ કેટેગરી અને તમારો મહિનાનો યુનીટનો વપરાશ દાખલ કરો અને Calculate બટન પર ક્લિક કરો.
PM Surya Ghar Yojana Calculator
  • નીચે આપેલ ફોટામાં તમારા યુનિટ મુજબ ગણતરી બતાવશે.
PM Surya Ghar Yojana Calculator

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા અહી ક્લીક કરો

મુજવતા પ્રશ્નો (FAQs)

1. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે?

– પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2024 એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે જેમાં એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.

2. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં કેટલી સબસીડી મળવા પાત્ર છે ?

– પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં 1 થી 2 કિલોવોટ માટે રૂ. 30000 થી 60000 અને 2 થી 3 કિલોવોટ માટે રૂ. 60000 થી 78000 સબસીડી મળવા પાત્ર છે.

3. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું ?

– પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે નેશનલ પોર્ટલની વેબસાઈટ https://pmsuryaghar.gov.in પરથી થશે.

અન્ય પોસ્ટ:

PGVCLને લગતી માહિતી માટે

DGVCLને લગતી માહિતી માટે

MGVCLને લગતી માહિતી માટે

UGVCLને લગતી માહિતી માટે

5/5 - (1 vote)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “પ્રધાનમંત્રી સૂર્ય ઘર : મફત વીજળી યોજના – PM Surya Ghar : Muft Bijli Yojana”

Leave a comment